Fitness Coach’s Remedies for Winter: શિયાળામાં શરીરને અંદરથી ગરમીની જરૂર હોય છે. સ્વેટર, રજાઇ તમારાં બોડીને બહારથી ગરમી પુરી પાડે છે, પરંતુ નિરોગી રહેવા માટે આંતરિક તાપમાન નોર્મલ રહે તે ખૂબ જ જરૂરી છે. તેથી જ આ સિઝનમાં ગરમ પ્રકૃતિવાળા ખાન-પાનનું સેવન પણ એટલું જ જરૂરી છે. આ જ કારણોસર એક્સપર્ટ્સ શિયાળામાં નોર્મલ ચાને બદલે ઉકાળો પીવાની સલાહ આપે છે.
સ્પોર્ટ્સ ન્યૂટ્રિશનિસ્ટ નિધિ ગુપ્તા એક ફિટનેસ કોચ (Nidhi Gupta, Certified Nutritionist and fitness instructor) પણ છે. તેઓ અવાર-નવાર ઇન્સ્ટાગ્રામ પર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચારની માહિતી પણ શૅર કરતા રહે છે. હાલમાં જ તેઓએ શિયાળા દરમિયાન સ્વસ્થ શરીર માટે ઉકાળાની રેસિપી વિશે જણાવ્યું છે. જો આ સિઝનમાં તમે વારંવાર બીમાર રહેતા હોવ તો આ ઉકાળાના સેવનથી તમારી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.
(તસવીરોઃ પિકસાબે.કોમ, ફ્રિપિક.કોમ)
ઉકાળાથી દૂર થશે આ બીમારીઓ
- શરદી-ખાંસી
- કેન્સર
- હાઇ કોલેસ્ટ્રોલ
- સોજા
- લિવર ડિઝિઝ
- બ્રેઇન ડિઝિઝ
- હૃદયરોગ
- હાઇ બ્લડપ્રેશર
- મેદસ્વિતા
- ફ્લૂ
- ડાઇજેશન પ્રોબ્લેમ
આદુ
NCBIમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, આદુ શિયાળામાં ગળાની ખરાશ, ગળફાં અને બોડીના સોજાની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આદુમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ જેવા ઔષધિય ગુણો મોજૂદ હોય છે. જે તેને શિયાળા માટે સૌથી શ્રેષ્ઠ ઔષધિ બનાવે છે.
તજ
તજ એક ગરમ મસાલો છે, તેથી એક્સપર્ટ શિયાળામાં તેના સેવનની સલાહ આપે છે. આ સાથે જ તજમાં એન્ટી-ડાયાબિટીક ગુણ મોજૂદ હોય છે, જે બ્લડ શુગર લેવલને નોર્મલ રાખવાનું કામ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ઔષધિય ગુણો કેન્સર, પાચન સંબંધિત બીમારીઓ, સોજા વગેરેથી શરીરની રક્ષા કરે છે.
જેઠી મધ
જેઠી મધ પ્રાચીન સમયથી આયુર્વેદમાં ઉપયોગમાં લેવાતી જડી-બુટ્ટી છે, તેમાં એન્ટી-સેપ્ટિક, એન્ટી-ડાયાબિટીકથી લઇને એન્ટી-ઓક્સિડન્ટ્સના ગુણો અને શ્વસન તેમજ લિવર સંબંધિત બીમારીઓથી લડવાના ગુણો રહેલા છે. આ સિવાય જેઠી મધ સારાં કોલેસ્ટ્રોલને વધારવા, વજન ઘટાડવા અને ગળાની ખરાશ-ખાંસીના ઉપચારમાં પણ ઉપયોગી છે.
ઉકાળાની સામગ્રી અને રીત
- મુલેઠી (જેઠી મધ)
- આદુ
- તજ
વિન્ટર સુપર ડ્રિંકને તૈયાર કરવા માટે 3થી 4 કલાક પહેલાં મુલેઠી, આદુ અને તજના એક એક ટૂકડાને લઇ પાણીમાં પલાળો. હવે તેને એક વાસણમાં 5થી 10 મિનિટ સુધી ઉકાળો અને ગાળીને પી જાવ.
આવી રીતે કરો સેવન
એક્સપર્ટ અનુસાર, તમે તેને સાંજની ચાના સમયે પી શકો છો, બસ તેમાં ચા-પત્તી ના નાખો. આ ડ્રિંકનું સેવન તમે દિવસમાં બે વખત એટલે કે, સવાર-સાંજ પણ કરી શકો છો.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.